
૧૦ થી ૧૨ વર્ષની વચ્ચેના બાળકો, જે હજુ ટીન એઈજમાં પ્રવેશ્યા પણ નથી તેમના માતા-પિતાની ફરિયાદ હોય છે કે તેમના બાળકો છુપાઈને કમ્પ્યુટરમાં કે મોબાઈલમાં એડલ્ટ પ્રકારની સાઈટ્સ જોતા પકડાયા. શું કરવું ? ખુબ ચિંતા થાય છે. તેમને ધમકાવાતા નથી અને તેમની સાથે આ મુદ્દાની વાત ઉખેળવાની હિંમત ચાલતી નથી.
આજના સમયમાં બાળકની પુખ્તતા અથવા પાકટતા થવાના રસ્તે તે ૨૦ વર્ષનો થાય અને આવી સાઈટ્સ ના જુવે તેવું હવેના સમયમાં દુનિયાના કોઈ બાળક માટે શક્ય નથી. બાળકોની સામે આ પ્રકારની સાઈટ્સ બને તેટલી મોડી આવે તેવું કૌટુંબિક સ્તરે વાતાવરણ ગોઠવવું. આ માટે શું કરી શકાય તે જોઈએ.
મોટા ભાગે બાળક એકલું હોય ત્યારે કતુહુલ અને સાહસ માટે આ પ્રકારના પ્રોગ્રામ્સ સુધી પહોચી જાય છે. મોટા ભાગે બાળકો એવું વિચારતા હોય છે કે આ પ્રકારના પ્રોગામ તેઓ છેલ્લી વાર જોશે. તે ૭ વર્ષનો હોય ત્યારથી જ તેના બીજા ૫ વર્ષ માટે તે રમત-ગમત, સંગીત, ચિત્રકામ માં વ્યસ્ત રહે તે પ્રમાણે સમયનું આયોજન કરવું જોઈએ.
ઘરના ટીવીને જ કમ્પ્યુટરમાં ફેરવી દેવું કે જેથી બાળક તેનું હોમવર્ક મોટા ટીવી પર બધાની હાજરીમાં જ કરે. વડીલોએ પણ કામ વિના સોશિયલ સાઈટ્સ જોવા બને તેટલો ઓછો ફોન વાપરવો.
બધા કુટુંબીજનો સાથે હોય ત્યારેજ તેણે તેનાં સ્કુલનું હોમવર્ક અથવા તો કોઈ માહિતી માટે કોમ્પ્યુટર-ઈન્ટરનેટ ખોલવું જોઈએ. તેનામાં ગેઈમ રમવા કરતા વાંચનની આદત કેળવવી જોઈએ. તેનો કઝીન કે મિત્ર આવ્યા હોય ત્યારે ખાસ તેમની સાથે માતા-પિતાએ અથવા કોઈ વડીલો એ રહેવું જોઈએ. સ્માર્ટ ફોન, લેપટોપ અને ટેબ્લેટ નો ઉપયોગ ઈન્ટરનેટ વિના ઘરમાં થાય તેવું આયોજન કરવું જોઈએ. જે બાળક કોઈ રમત-ગમતમાં રસ લેતું નથી અને ઘરમાં પણ ખુબ એકલું રહેતું હોય તો તે બાળક કોઈ એડલ્ટ સાઈટ ઝડપથી જોઈ તો લેશે અને ફરી વારંવાર આ પ્રકારની સાઈટ કેવી રીતે જોવી તેના રસ્તા વિચારશે.
૧૫ વર્ષથી મોટું બાળક જોતા પકડાય તો આ પ્રકારના પ્રોગ્રામોની અસરો અને તેના ભવિષ્યના પરિણામો વિશે તેને ખુબ શાંતિથી જણાવી હવે યોગ્ય નિર્ણય તું જ લેજે તેમ જણાવી દેવું.
તેના પર ખાસ વોચ રાખવું કે ઘરમાંથી ઈન્ટરનેટ કઢાવી નાખવું તે આ ઉમરના બાળક માટે યોગ્ય નથી. બધું યથાવત રાખી બાળક સાથેના હકારાત્મક અભિગમથી બાળક ને પોતાને લાગશે કે મમ્મી-પપ્પાએ મારા પર એક વિશ્વાસ રાખેલ છે , જે મારે તોડવો ના જોઈએ અને તેમના સપના પુરા થાય તેવા મારે પ્રયત્નો કરવા જોઈએ. આમ
ઘણા માતા-પિતા આવા પ્રસંગો બાદ બાળકનો આત્મવિશ્વાસ વધારવાની તક ઝડપી લે છે. તેમના અને બાળકના સંબંધમાં પણ ઉષ્મા વધે છે. આવી ઘટના બાદ બાળકને મારવો, ધમકાવવો કે શિક્ષા આપી તેને ઘરની બહાર કાઢી મુકવાથી ક્યારેય આ વસ્તુનું નિરાકરણ આવતું નથી. આવું વર્તન માતા-પિતાની અપરિપકવતા સૂચવે છે.
(ડો.આશિષ ચોક્સી. દિવ્યભાસ્કર : મધુરિમા : ૦૪/૦૬/૨૦૧૯)
પ્રતિશાદ આપો