- માતાની ઉંમર
- સંભોગ
- માતા પિરિયડમાં હોય
- માતા સર્વિસ ચાલુ કરે ( સર્વિસેથી પાછા આવીને બાળકને ધાવણ આપવાનું માતાએ ચાલુ રાખવું પડે )
- માતા સર્વિસેથી આવીને બીજા દિવસે સવારે સર્વિસે જાય ત્યાં સુધી EBM કાઢે
- જોડિયા બાળકો
- માતા ઓછુ જમે અને સપ્રમાણ ના જમે
- પ્રસુતિની સંખ્યા
- સામાન્ય ડીલીવરી કે ઓપરેશનથી ડીલીવરી
- બાળક અધૂરા મહિને જન્મે કે પુરા મહિને જન્મે
- બાળકની જાતિ
- બે બાળકો વચ્ચેનો ગાળો
- માતાને સામાન્ય શરદી, તાવ કે ઝાડા ઉલટી થયા હોય
ઉપરના કારણોને લીધે ક્યારેય ધાવણનો જથ્થો ઘટતો નથી. મોટાભાગે આ કારણોમાં માતાએ પહેલેથી માની લીધું હોય છે કે આવું છે એટલે ધાવણ ઓછુ જ આવશે. પણ હકીકતમાં સગાઓ અને પતિ દવારા ઘરમાં હકારાત્મક વાતાવરણ રહે અને બાળક સમયસર અને વારંવાર માતાનું સ્તન ચૂસે તો ઉપરના કારણોમાં પણ ધાવણનો જથ્થો પુરતો જ આવશે.
પ્રતિશાદ આપો