માતાપિતાના ઝગડા અને બાળક જે માતાપિતાને અવાર નવાર ઝગડા થતા હોય તે માતાપિતાના બાળકને ઉછેર માટે પણ અલગ અલગ વિચારો હોય છે. આથી સંતાનને માતાપિતાનો નહીં પરંતુ બે અલગ વિચારો ધરાવનારી વ્યક્તિઓનો પ્રેમ મળે છે. આ પ્રેમની સંયુક્ત શક્તિ અડધી થઇ જાય છે. જ્યારે માતાપિતાનાં સંયુક્ત પ્રેમમાં પ્રચંડ શક્તિ હોય છે. પતિ પત્નીની એકબીજાને સહનવધુ વાંચો
બાળકોને તેમની ભૂલોમાંથી જ શીખવીએ પોતાની ભૂલો કે નિષ્ફળતા એ સફળતા મેળવવાનો એક પાઠ છે આ શિક્ષણ બાળકોને શ્રેષ્ઠ રીતે માતાપિતા જ આપી શકે. બાળકોથી જ્યારે પણ કોઈ ભૂલ થઈ જાય કે કોઈ પરીક્ષામાં ઓછા માર્ક્સ આવે તેમાં ચિંતા કરવાની જરૂર નથી પણ નિષ્ફળતાને યોગ્ય રીતે જોતા અને તેમાંથી બોધપાઠ લેવાની શિખામણ માતાપિતા આપી શકે.વધુ વાંચો
માતાપિતાની ઘણી વખત ફરિયાદ હોય છે કે તેમનું બાળક તેમનું માનતું નથી. આમ પણ દસ વર્ષથી નાના બાળકો સલાહ ઓછી માને છે અને અનુકરણ વધુ કરે છે. દસ વર્ષથી નાના બાળકોને અનુકરણ કરાવીને જ કામ પુરૂ કરાવવાની પદ્ધતિ અપનાવવી પડે. કુટુંબના બધા જ સભ્યો જે કરતા હશે તે પ્રમાણે બાળક ચોક્કસ વર્તન કરશે. થોડાક અગત્યનાવધુ વાંચો
વર્ષો પહેલા એક અંગ્રેજી પિકચરમાં અભિનેતા રીચાર્ડ બર્ટન એક લશ્કરી અધિકારી હોય છે. તેના ઉપરીને તે કહે છે કે, ‘હું પોતે મારા કાર્યને લાયક નથી. મારા નીચેના સૈનિકોને હું જ ઉદાહરણરૂપ બનવાની યોગ્યતા કેળવીશ પછી મારી જવાબદારીઓ હું પાછી લઇશ’. ગત અઠવાડિયે એક શાળાના વાર્ષિકોત્સવમાં જવાનું થયું. માતાપિતા સાથેના સંવાદમાં એક માતાએ પ્રશ્ન પૂછ્યો કેવધુ વાંચો
બાળકો સાંભળેલું ભૂલતા નથી. ગુજરાતી ભાષાનાં પ્રખ્યાત લેખક ફાધર વાલેસે તેમના કુટુંબધર્મ નામના એક પુસ્તકમાં ઉપરનું વાક્ય લખ્યું હતું. બાળકો ઘણા નિર્દોષ હોય છે. તેઓ જોયેલું, સાંભળેલું ભૂલતા નથી અને માતાપિતાના વર્તનને હંમેશા અનુસરતા હોય છે. અહીં આપણે ત્રણ સત્યઘટના વિશે જાણીએ. *અમદાવાદના મેમનગર વિસ્તારમાં આજથી ૨૦ વર્ષ પહેલા એક ફલેટમાં એક મહારાષ્ટ્રીય કુટુંબ આવ્યુંવધુ વાંચો
થોડા વખત પહેલા એક સમાચાર હતા કે સૌરાષ્ટ્રના એક નાના ગામમાં સાતથી આંઠ વર્ષના બે બાળકો રમતા હતા, ત્યાં દીપડો આવ્યો અને એક બાળકને ખેંચીને તે લઈ જતો હતો. બીજા બાળકે તેના મિત્રને છોડાવવા પત્થર ફેંક્યો તો પણ દીપડાની પકડ બીજા બાળક પર મજબુત રહી. બીજા મિત્રે તેના મિત્રને હિંમત હાર્યા વિના છોડાવવાના પ્રયત્નો ચાલુવધુ વાંચો
ખુલ્લા મેદાનમાં રમતો અને બાળવિકાસ હમણાં થોડા સમય પહેલા ન્યુઝપેપરમાં એક સમાચાર હતા કે વિવિધ બાળકોના અભ્યાસમાં એવું તારણ નીકળ્યું કે જે બાળકો ખુલ્લા મેદાનમાં રમે છે તેમનો આઈ.કયું જે બાળકો મેદાનમાં રમવા નથી જતા તેવા બાળકોની સરખામણીમાં પાંચ પોઈન્ટ વધુ હતો. ચાર થી દસ વર્ષનો ગાળો બાળમાનસના વિકાસમાં ખુબ અગત્યનો ગાળો છે. આ સમયમાંવધુ વાંચો
http://digitalimages.bhaskar.com/gujarat/epaperimages/22082017/21mad-pg9-0l.jpg થોડા દિવસ પહેલા એક વડીલ દાદા એકલા મળવા આવેલ. તેઓ ખુબ જ વ્યથિત હતા. તેઓએ તેમની વ્યથા કહી. ‘મારે ત્રણ દીકરા અને એક દીકરી છે. હું મારા એક દીકરા સાથે સંયુક્ત કુટુંબમાં રહું છું. તેને એક જ દીકરો છે જે ૧૫ વર્ષનો છે અને દસમાં ધોરણમાં ભણે છે. મને મારા ચાર બાળકોને મોટા કરતાવધુ વાંચો
બાળકને સલાહ આપવાની પદ્ધતિ આંઠ વર્ષના પ્રતિકના મમ્મી-પપ્પા મળવા આવ્યા હતા કે પ્રતિક ખુબ જ ચીડાઈ જાય છે. નાની નાની વાતમાં ગુસ્સે થઇ જાય છે. પોતાનું ધાર્યું જ કરે છે અને ઘણીવાર અમારી સાથે સરખી રીતે વાત પણ કરતો નથી. તેને કઈક સમજાવો અને સલાહ આપો. બાળકોને પાંચ વર્ષ થઇ જાય પછી તેઓ માતાપિતાની સલાહવધુ વાંચો