Skip to content Skip to footer
0 items - ₹0.00 0
0 items - ₹0.00 0

ખોટી માન્યતાઓ અને સાચી હકીકત

૨૧ મી સદીમાં પણ હજુ આપણા સમાજમાં પ્રવર્તતી ખોટી માન્યતાઓ માટે જાણવું જરુરી છે.

  • માતાની માંદગીમાં શિશુને સ્તનપાન બંધ કરાવવું જોઈએ.
  • ફોર્મ્યુલા દૂધ, પ્રોટીનના ડબ્બા અને વિટામીન સિરપોથી બાળકનો વૃદ્ધિ અને વિકાસ સારો થાય.
  • ઓરી કે અછબડામાં નવડાવવું ન જોઈએ તેમજ માત્ર પ્રવાહી જ આપવું જોઈએ.
  • બાળકમાં દાંત આવે એટલે ઝાડા થાય જ. સારા દાંત આવે તે માટે મમરી જરુરી છે.
  • આંખોનું તેજ વધારવા સુરમો કે આંજણ(મેશ) આંજવા જોઈએ.
  • બાળકોમાં ગળ્યું ખાવાથી કરમિયા થાય.
  • રસીમાં તાવ આવે તો જ રસીની અસર સારી થઈ ગણાય.
  • એક વખત લોહી ચઢાવ્યું હોય પછી તેને વાંરવાર લોહી ચઢાવવું જ પડે.
  • બાળકે નાનપણથી થોડું તીખું અને થોડું કડવું ખાવું જ જોઈએ.
  • કેન્સર થયેલા અને HIV પોઝીટીવ દર્દીથી બાળકને દુર રાખવું, તેમના અડવાથી ચેપ લાગે.
  • કાયમ ઉકાળેલું પાણી પીવાથી બાળકની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય.
  • કાન દુખે તો કાનમાં તેલ અને દિવેલ નાખવું જોઈએ.
  • વાગ્યા પર હળધર અને બળેલું રૂ લગાવવું.
  • ઉલટી કે ઝાડા થવા દેવા, શરીરની ગંદકી અને કફ નીકળી જાય.
  • એક વાર તો ઓરી કે અછબડા નીકળવા જ જોઈએ. શરીરની ગરમી નીકળી જાય.
  • બાળકને વિવિધ ગ્રાઇપ વોટર તેમજ ગળથુથી આપવી જેથી તેની પાચનશક્તિ સારી થાય.
  • ઝાડા – ઉલ્ટીમાં ખસખસ, કોફી અને જાયફળ આપવું જોઈએ.
  • ટીવી જોવાથી આંખના નંબર વધે.
  • કબજીયાત વાળા બાળકને દિવેલ કે સાબુની ગોટલી મુકવી જોઈએ.
    • ગભરાશો નહીં ઉપરોક્ત બધી જ માન્યતાઓ ખોટી છે.

ધાવણ આપતી માતા માટે ખોટી માન્યતા અને સાચી હકીકત

  • ખોટી માન્યતા :

ઓફીસ જતી માતા અથવા એક દિવસ ધાવણ નાં આપી શકી હોય તે માતાનું ફીડીંગ ભરાયેલું ફીડીંગ કહેવાય. તે બાળકને નુકશાન કરે.

હકીકત :

અમુક કલાકો સુધી ફીડીંગ ના આપેલું હોય તે ચઢેલું કે ભરાયેલું ધાવણ પણ ગુણવત્તાયુક્ત હોય છે તે ક્યારેય બાળકને તકલીફ કરતું નથી.

  • ખોટી માન્યતા :

માતાને શરદી થઇ હોય, ઝાડા થયા હોય અથવા માતા એન્ટીબાયોટીકસ કે પેઈન કિલર લેતી હોય તો બાળકને ફીડીંગ ના અપાય.

સાચી હકીકત :

ઉપરની બધી જ સ્થિતિમાં બાળકને ફીડીંગ અપાય. માતાને ડેન્ગ્યું, ટાયફોઇડ કે મેલેરિયા હોય તેમાં પણ ધાવણ ચાલુ રખાય.

  • ખોટી માન્યતા :

જોડિયા બાળકમાં ધાવણ ઓછુ પડે તેમને ફરજીયાત બહારનું દૂધ આપવું જ પડે.

હકીકત :

જોડિયા બાળકોને પણ જરૂર હોય તેટલું ધાવણ માતાને બને જ.

બાળકો જેટલું (suck) ચુસસે વધુ તેટલું ધાવણ વધુ બનશે. બાળકની જરૂરિયાત પ્રમાણે માતામાં ધાવણ બને તેવી સુંદર ગોઠવણ ઈશ્વરે કરી જ છે. બહારનું દૂધ આપવાની જરૂર નથી.

  • ખોટી માન્યતા :

બ્રેસ્ટમાં હેવીનેસ નથી લાગતી, ધાવણ લીધા પછી બાળક આંગળીઓ મોમાં નાખે છે તો માતાને ધાવણ ઓછુ બનતું હશે?

હકીકત :

ઘણી માતામાં બ્રેસ્ટ ખાલી જ રહે. પણ બાળક ચુસવાનું શરુ કરે ત્યારે જ ધાવણ બને. બનેલું ધાવણ બાળક લઈ લે એટલે બ્રેસ્ટમાં હેવીનેસ ફિલ ના પણ થાય. સંતોષજનક ફીડીંગ લીધા પછી પણ બાળક આંગળીઓ મોમાં નાખશે. બન્ને કિસ્સામાં માતાને ધાવણ ઓછુ નથી.

Loading

Leave a comment

© Copyright 2022 drashishchokshi.com. All Rights Reserved.
0