- તેઓ હંમેશા બાળકોને બિનશરતી પ્રેમ આપે છે.
- અન્ય બાળકો કે મોટાભાઈ, બહેન સાથે સરખાવતા નથી.
- પોતે (માતાપિતાએ) તેના માટે ફાળવેલા સમય, શક્તિ અને નાણાને વાંરવાર યાદ કરતા નથી.
- બાળકોને સલાહ વિનાનું સાનિધ્ય આપે છે અને બાળકોના ભૂતકાળની ભૂલોને વધુ યાદ કરતા નથી.
- બાળકોની ભૂલમાં પણ વધુ તક આપે છે અને તેમની નિષ્ફળતામાં પણ બાળકોની સાથે જ રહે છે.
- બાળકોની ડીગ્રી અને માર્ક્સને નહીં પણ તેના ચરિત્ર્ય, તેના વ્યક્તિત્વ, તેની આવડત, તેની ક્ષમતા, તેની બુદ્ધિપ્રતિભા તેની ખુબી, તેની ખામી અને તેની કળાને માન આપે છે.
- બાળકની ક્ષમતા પર પૂરો ભરોસો રાખે છે.
- તેના દૈનિક કાર્ય અને મોબાઈલ ફોનના વપરાશ કે પૈસાના ખર્ચા વિશે વાંરવાર પ્રશ્નો પૂછતા નથી.
- તેની અસફળતાની વાતો મિત્રો કે સગા સાથે કરતા નથી.
- તેને સલાહ એકાંતમાં આપે છે અને તેના વખાણ જાહેરમાં કરે છે.
- બાળકના ભણતર સાથે રમતગમત પર પણ પુરતું ધ્યાન આપે છે.
- નાનામોટા કૌશલ્યો પોતાની સાથે રાખીને શીખવે છે.
- પોતાના સામાજિક કે વ્યવસાયિક દબાણને લીધે બાળકો પર ક્યારેય ગુસ્સે થતા નથી.
- પોતાને સમય સાથે બદલે છે.
- બાળકોને નિર્ણયો લેવાની તક આપે છે.
- માતાપિતા એકબીજાને ખુબ આદર સન્માન આપે છે.
- છેલ્લો બોલ : કોઈ પણ ક્ષેત્રમાં સફળ બાળકોના માતાપિતા શ્રેષ્ઠ સહન કરનારા, શ્રેષ્ઠ જતું કરનારા અને શ્રેષ્ઠ માફ કરનારા હોય છે.
ડો.આશિષ ચોક્સી – ગુડ મોર્નિંગ – કડી ૭૯ – ૧૨/૦૮/૨૦૨૦