Skip to content Skip to footer
0 items - ₹0.00 0
0 items - ₹0.00 0

સફળ દાંપત્યજીવનની દસ ચાવીઓ

  1. સુખી દાંપત્યજીવન માટે યાદ રાખવાની નહીં પણ ભૂલી જવાની ટેવ પાડવી જોઈએ.
  2. એકબીજા સાથે નિખાલસપણે વાત કરવાની અને સાંભળવાની ટેવથી ઘણી ગેરસમજો દુર થશે. માનસિક રીતે એકબીજા સાથે જોડાયેલા દંપત્તિ શરીર કરતા આત્માથી એકબીજા સાથે વધુ જોડાયેલા હોય છે.
  3. સફળ લગ્નજીવનનો આધાર એકબીજાને ખુશ કર્યા કરતા એકબીજાને વફાદાર રહેવા પર વધુ રહેલો છે.
  4. એકબીજાની ટીકા વખતે પણ એકબીજાનું ગૌરવ સાચવવું.
  5. પતિપત્નીએ પ્રેમ એકબીજાની ખુબી, ખામી, શોખ, ધ્યેય, જવાબદારીઓ અને ટેવો સાથે એટલે એકબીજાના સમગ્ર જીવન સાથે કરવો જોઈએ.
  6. નાના મોટા આશ્ચર્યો સંબંધોને જીવંત રાખે છે. નાની મોટી સુભેચ્છા આપતા રહો. સુભેચ્છા આપવાથી આપોઆપ ગુણો જોવાની અને દોષો અવગણવાની ક્ષમતા વધે છે.
  7. સામેનું પાત્ર જ્યારે બીજાને કોઈ પીડા કે દુઃખ આપે ત્યારે સમજવું કે કોઈક કારણથી એ પોતે અંદરથી ખુબ રિબાય છે. આ સમયે તેને તમારી વધુ સહાનુભૂતિ અને પ્રેમની જરૂર છે.
  8. પતિ કે પત્નીએ એકબીજા પાસેથી પોતાના કુટુંબીજનો માટેના એક્સ્પેકટેશન ખુબ નીચા રાખવા. સમય જતા આ એક્સ્પેકટેશન પુરા થાય જ છે.
  9. પત્નીના નાના નાના કામોનો ભાર ઉત્કૃષ્ટ ભાવથી ઓછો કરો. આ ભાવમાં પ્રેમના પુષ્પની વૃદ્ધિ કરવાની ખુબ તાકાત રહેલી છે.
  10. મોટા ભાગના લગ્નજીવન નિષ્ફળ જવાનું કારણ પતિપત્ની એકબીજાના સારા મિત્રો નથી હોતા તે હોય છે. મિત્રભાવ રાખવામાં ઉપરના બધા ગુણો આવી જાય છે.

Leave a comment

Hospital Location

© Copyright 2025 drashishchokshi.com. All Rights Reserved.

0
Instagram
WhatsApp
URL has been copied successfully!