નિબંધ કેવી રીતે લખાય?
ભાષાના પેપરમાં નિબંધલેખનનું ખુબ વિશેષ મહત્વ છે.
પરીક્ષકના મગજમાં વિધાર્થીની નિબંધ લખવાની કળા સારો પ્રભાવ પાડી શકે છે.
નીચેની પદ્ધતિથી કોઈ પણ વિષય પરનો નિબંધ લખી શકાય
નિબંધને હંમેશા પાંચ ફકરામાં લખો.
ધારોકે વિધાર્થીએ ‘ઉનાળાનો બળબળતો બપોર’ વિષય પર નિબંધ લખવાનો છે.
પહેલો ફકરો : ‘ઉનાળા’ની વિશ્વ પર અસર
બીજો ફકરો : ‘ઉનાળા’ની આપણા દેશ પર અસર
ત્રીજો ફકરો : ઉનાળાની આપણા રાજ્ય, શહેર અને આપણે રહીએ છીએ તે વિસ્તાર પર અસર
ચોથો ફકરો : ઉનાળાની સારી તેમજ ખરાબ સામાજિક અસર
પાંચમો ફકરો : ઉનાળો કેમ મને ગમે છે અથવા નથી ગમતો તેના વ્યક્તિગત વિચારો
ચોથો કે પાંચમો ફકરો આગળપાછળ લખી શકાય.
આમ સુંદર રીતે નિબંધલેખન કરી બાળકની ભાષાસમૃદ્ધિ વિકસિત કરી શકાય
પ્રતિશાદ આપો